महिम्नः पारं ते परमविदुषो यद्यसदृशी,
स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः।
अथावाच्यः सर्वः स्वमतिपरिणामावधि गृणन्,
ममाप्येव स्तोत्रे हर निरपवादः परिकरः॥

शिवमहिम्नस्तोत्रम्- ॥1॥

પદચ્છેદ   :   महिम्नः, पारम्, ते, परम्, अविदुषः, यदि, असदृशी, स्तुतिः, ब्रह्मादीनाम्, अपि, तद्, अवसन्नाः, त्वयि, गिरः, अथ, अवाच्यः, सर्वः, स्वमति-परिणाम-अवधि, गृणन्, मम, अपि, एवः, स्तोत्रे, हर निरपवादः, परिकरः॥

ભાવાર્થ    :    પુષ્પદંત નામના ગંધર્વ શિવજીની સ્તુતિના પ્રારંભમાં કહે છે, હે મહાદેવ! આપના મહિમાની ઉત્કૃષ્ટ અવધિને ન જાણનાર (અલ્પજ્ઞ એવા મારી) સ્તુતિ જો અપર્યાપ્ત હોય તો બ્રહ્માજી વગેરે સર્વજ્ઞની વાણી પણ આપના વિષયમાં તો અપર્યાપ્ત જ છે. માટે પોતાની બુદ્ધિની મર્યાદા અનુસાર ગુણ ગાનાર સર્વ લોકો ક્ષમાને પાત્ર છે. તો પછી મારો પણ સ્તોત્ર વિષયમાં આ આરંભ, આ પ્રયત્ન ચોક્કસ નિંદાને પાત્ર તો ના જ ગણાવો જોઇએ.